Site icon

શું તમને ખબર છે!! કોરોનાથી સાજા થયા બાદ પણ 2-3 મહિના સુધી કોવિડ-19 ની અસર દેખાય છે.. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈA

Join Our WhatsApp Community

20 ઓક્ટોબર 2020

યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસના તારણો અનુસાર, હોસ્પિટલમાંથી છૂટા થયેલા COVID-19 ના અડધાથી વધુ દર્દીઓમાં બે થી ત્રણ મહિના સુધી શ્વાસની તકલીફ, થાક, અસ્વસ્થતા અને હતાશાના લક્ષણો અનુભવ્યા હતા . બ્રિટનના  વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળના સંશોધનમાં રોગચાળાના રોગથી હોસ્પિટલમાં દાખલ થયેલા 58 દર્દીઓમાં COVID-19 ની લાંબા ગાળાની અસર જોવા મળી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી આ રોગની અસર હોસ્પિટલમાં એડમિટ કોવિડ -19 ના 58 દર્દીઓમાં જોઇ છે. તેઓએ અભ્યાસમાં જોયું કે કોરોનો વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓના અંગો અસામાન્ય સ્થિતિમાં રહે છે. તેમનામાં સતત સોજો હોવાને કારણે, આ સમસ્યા થોડા મહિનાઓ સુધી ચાલુ રહે છે. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના 4 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 11 લાખ 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં 20 ઓક્ટોબર સુધી કોરોના 7,48,499 સક્રિય કેસ નોંધાયા  છે. દેશમાં કોરોનાને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત પણ થયાં છે..

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version