Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે!! કોરોનાથી સાજા થયા બાદ પણ 2-3 મહિના સુધી કોવિડ-19 ની અસર દેખાય છે.. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈA

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020

યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસના તારણો અનુસાર, હોસ્પિટલમાંથી છૂટા થયેલા COVID-19 ના અડધાથી વધુ દર્દીઓમાં બે થી ત્રણ મહિના સુધી શ્વાસની તકલીફ, થાક, અસ્વસ્થતા અને હતાશાના લક્ષણો અનુભવ્યા હતા . બ્રિટનના  વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળના સંશોધનમાં રોગચાળાના રોગથી હોસ્પિટલમાં દાખલ થયેલા 58 દર્દીઓમાં COVID-19 ની લાંબા ગાળાની અસર જોવા મળી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી આ રોગની અસર હોસ્પિટલમાં એડમિટ કોવિડ -19 ના 58 દર્દીઓમાં જોઇ છે. તેઓએ અભ્યાસમાં જોયું કે કોરોનો વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓના અંગો અસામાન્ય સ્થિતિમાં રહે છે. તેમનામાં સતત સોજો હોવાને કારણે, આ સમસ્યા થોડા મહિનાઓ સુધી ચાલુ રહે છે. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના 4 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 11 લાખ 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં 20 ઓક્ટોબર સુધી કોરોના 7,48,499 સક્રિય કેસ નોંધાયા  છે. દેશમાં કોરોનાને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત પણ થયાં છે..

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version