ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ ઐતિહાસિક ધરોહર તાજમહેલ આજે અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત જાણકારી મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને વિસ્ફોટકોને ત્યાં રાખવાની સુચના આપી હતી. ત્યારબાદ પ્રવાસીઓને મોકડ્રીલ હોવાનું જણાવીને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા
હાલ CISF અને સ્થાનિક પોલીસ તપાસ માટે તાજમહેલ પહોંચી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
