Site icon News Continuous Bureau | Mumbai

શું તમે રસી લેવા જઈ રહ્યા છો? તો ચોવીસ કલાક પહેલાંથી આ વાતનું ધ્યાન રાખજો…..

   વિશ્વમાં કોરોના ની બીજી લહેરે ફરીથી લોકોને ત્રસ્ત કરી દીધા છે.  પણ સાથે રાહતના સમાચાર એ છે  કોરોના સંક્રમણને રોકવા માટેના રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવે છે.

       વિશેષજ્ઞોનું માનવું છે કે, વેક્સિનેશન લીધા પહેલાં ના 24 કલાક ખૂબ જ અગત્યના છે અને એ ચોવીસ કલાક દરમિયાન તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આવો જાણીએ કે શું છે એ ધ્યાન રાખવા જેવી બાબતો.. 

Join Our WhatsApp Channel

1, વેક્સિનેશન લેવા જતાં  ચોવીસ કલાક પહેલાં કોઇપણ પેઇનકિલર દવા લેવી નહીં.

2, જે પણ કોઈ વ્યક્તિને દારૂ પીવાની આદત હોય તેમણે વેક્સિનેશન પહેલા દારૂ પીવો નહીં. દારૂ પીવાથી ડીહાઇડ્રેશન થાય અને એનાથી હેંગ ઓવર પણ થઈ શકે છે. જે વેક્સિન માટે નુકસાનકારક નીવડી શકે છે.

3, વેક્સિન લેવા જતા અગાઉની રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ અગત્યની છે.

આઠ કલાકની પૂરતી ઉંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે શરીર માટે ઉત્તમ ગણાય છે.

4, જો તમને બીજી કોઈ પણ બીમારી હોય તો તમારા ડોક્ટરની સલાહ વગર રસી લેવા જવું નહીં.

5, રસી લેવા જતા અગાઉ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવો નહીં. સ્ટ્રેસ લેવાથી બીપી વધી જવાનો ભય રહે છે. એનાથી પ્રતિકાર શક્તિ પર વિપરીત અસર થઈ શકે છે.

6, જે વ્યક્તિને કોઈપણ પ્રકારની દવા લીધા પછી એલર્જી થતી હોય, તેમણે તેમના ડોક્ટરની સલાહ લીધા પછી જ રસી લેવા જવું કારણ કોરોનાની રસી લીધા પછી ઘણા એવા પણ કેસ આવ્યા છે કે તેમને રસી લીધા પછી  એલર્જી થઈ હોય.

200 રૂપિયા માં શું થાય છે? બોમ્બે હાઈકોર્ટે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી. થુકનાર ની વિરુદ્ધમાં નબળી કાર્યવાહી કેમ? 
 

Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version