Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ-વાળની ​​સમસ્યા ને જડમૂળ થી ખતમ કરવા કરો આમલીના પાન ઉપયોગ-જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

બદલાતી ઋતુઓ સાથે માનવ જીવનમાં અનેક કુદરતી ફેરફારો જોવા મળે છે. તે મુજબ આપણા શરીરમાં પણ ફેરફારો થવા લાગે છે. આ બધી બાબતો પાછળ આહાર અને હોર્મોન(hormone) જવાબદાર છે. કહેવાય છે કે બાળપણમાં તેલની માલિશ(oil massage) કરવાથી ત્વચાના કોષો મજબૂત બને છે, જેનાથી આપણા શરીરની સુંદરતામાં બદલાવ આવે છે, તેવી જ રીતે વાળની ​​પણ કાળજી લેવાની જરૂર છે. કાળજી ન રાખવાને કારણે આપણને સફેદ વાળ, વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે આમલીના પાનની મદદથી આ બધી સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય છે.

Join Our WhatsApp Channel

1. આમલીના પાન અને દહીં

તમે તમારા વાળ માટે દહીં(curd) અને આમલીના પાનથી હેર પેક(tamarind leaves) તૈયાર કરી શકો છો, જે તમારા ગ્રે વાળને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે થોડા આમલીના પાનને દહીંમાં ભેળવીને તમારા વાળમાં 1 કલાક સુધી લગાવવા પડશે. થોડા દિવસોમાં તમને સારા પરિણામ દેખાવા લાગશે.

2. આમળા અને આમલીના પાન

આમળા(gooseberry) અને આમલીના પાન પણ વાળને ઘણા ફાયદા આપે છે. આ માટે તમારે તાજા આમળા લેવા પડશે અને આમલીના થોડા પાન લેવા પડશે. આ પછી આમળા ને કાપીને તેને આમલીના પાન સાથે પીસીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને નહાતા પહેલા વાળમાં લગાવો. આમ  કરવાથી સફેદ વાળથી તમને જલ્દી છુટકારો મળશે.

3. આમલીના પાન અને મેથીના દાણા

મેથીના દાણા અને આમલીના પાન પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે મેથીને એક નાના વાસણમાં આખી રાત પલાળી રાખવાની છે. સવારે ઉઠ્યા બાદ તેનું પાણી ગાળી લો. મેથીના દાણામાં આમલીના પાન(tamarind leaves)  મિક્સ કરીને પીસી લો, હવે તમે તેની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- હોઠની કાળાશ દૂર કરવા ઘરે જ બનાવો લિપ ક્રીમ-જાણો તેને બનાવવાની આસાન રીત વિશે

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version