Site icon

આને કહેવાય સમાજ સેવા. 62 વર્ષના દાદીએ એકલે હાથે ગરીબ બાળકીઓને સેનેટરી પેડ, આંતરવસ્ત્રો સહિતની 6 લાખ કિટ આપી, લોકડાઉન બાદ રોજના 250 બાળકો માટે રસોઈ બનાવે છે. જાણો આ દાદી વિશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયામાં હેઝ ટેગ 'શી ઇન્સપાયર અસ' કર્યા બાદ ચર્ચામાં આવેલાં સુરતના પેડ દાદી ની કહાણી ઘણી પ્રેરણાદાયી છે. 

Join Our WhatsApp Community

પેડ દાદી તરીકે ઓળખાતા મીના મહેતા દર મહિને સરકારી શાળાઓમાં પાંચ હજાર જેટલી ગરીબ વિદ્યાર્થીનિઓને નિઃશુલ્ક સેનેટરી પેડની કીટ આપે છે. 

62 વર્ષીય મીનાબેન મહેતા 2013ની સાલથી પતિની બચતના 25 હજાર રૂપિયાથી દીકરીઓ માટેના સેનિટરી પેડ, અંડરવેર, સ્પોર્ટ્સ બ્રા, અને ખજૂર-ચણાના કિટનું દર મહિને વિતરણ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, સંબંધીઓ અને દાતાઓનો સહયોગ વધતાં છેલ્લાં આઠેક વર્ષમાં લગભગ 6 લાખ કિટ કિશોરીઓને આપવામાં આવી છે. 

લોકડાઉન બાદ સ્કૂલો બંધ હોવાથી અને પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને હવે ઘરે જ રોજનાં 250 બાળકો માટે રસોઈ બનાવીને મોકલી રહ્યાં છે, સાથે જ 20 જેટલા વૃદ્ધોને એડોપ્ટ કરીને તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું કામ પણ કરી રહ્યાં છે. 

કોઇની પણ મદદ વગર પતિ-પત્ની મળીને એકલા હાથે 250 બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવીને તેને પેક કરે છે અને સર્વિંગ સ્માઇલ નામની સંસ્થાની મદદથી બાળકો સુધી ખોરાક પહોંચાડે છે. સાથે-સાથે તેઓ એ વાતનું પણ બહુ ધ્યાન રાખે છે કે, ભોજન બની જાય તેના એક કલાકમાં બાળકો સુધી પહોંચી જાય. 

માનુની ફાઉન્ડેશન સંસ્થાનાં સંસ્થાપક મીનાબેન જણાવે છે, “ભૂખ અને કુપોષણની દ્રષ્ટિએ આપણો દેશ 94 મા નંબરે છે. એટલે જ અમારો હેતુ છે કે બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે. અમે કોઇ એક વિસ્તારમાં જઈને બાળકોને સતત એક-બે મહિના સુધી તેમને 200 ગ્રામના પેકિંગમાં તાજુ જ બનાવેલું ભોજન પહોંચાડીએ છીએ. અને ખરેખર બાળકોમાં તેનો ફાયદો પણ જોવા મળે છે.” 

આ કાર્ય માટે તેમને અભિનેતા અક્ષય કુમાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળી છે. જ્યારે ઇન્ફોસીસ ના સુધા મૂર્તિના કાર્યથી પ્રેરણા લઈને મીનાબેને પણ પેડ આપવાનું શરૂ કર્યું હતું. એમ જણાવી તેઓ વાત પૂર્ણ કરે છે.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version