Site icon News Continuous Bureau | Mumbai

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના બહાને ફરી ચર્ચામાં કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર, જાણો મંદિરનો ઇતિહાસ અને તેના પતનની કહાની.. 

News Continuous Bureau | Mumbai

 કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે અને આ બહાને કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર પણ ચર્ચામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

હકીકતમાં છેલ્લા દિવસોમાં જ્યારે રાજધાની દિલ્હીમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલના જવાબમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો અને તેની વાર્તા કહી હતી. તેમણે કહ્યું કે સમગ્ર કાશ્મીરને અને ભારતને એક સમયે માર્તંડ સૂર્ય મંદિર પર ગર્વ હતો. આતંકવાદી સમયમાં તે તૂટી પડ્યું તે પહેલા કેરળમાંથી હિંદુઓ પણ તેની મુલાકાત લેતા હતા.

વિવેક અગ્નિહોત્રીના જણાવ્યા અનુસાર જે રીતે નાલંદા યુનિવર્સિટીમાં દરેક વ્યક્તિ માત્ર અભ્યાસ માટે જ નહોતા જતા, પરંતુ અભૂતપૂર્વ સંરચના જાેવા પણ જતા હતા. તે જ રીતે માર્તંડ સૂર્ય મંદિર સાથે પણ હતું. દરેક જણ ત્યાં પૂજા કરવા માટે જ નહોતા જતા, પરંતુ લોકો મંદિરની સુંદરતા, રચના અને કલાકૃતિઓને જોવા પણ આવતા હતા. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં લોકો આ મંદિરને શેતાનની ગુફા તરીકે ઓળખે છે. આવો જાણીએ આ મંદિરની કહાની. 

આ સમાચાર પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, આટલા ઉત્પાદનોની આયાત પર મુક્યો પ્રતિબંધ.. જાણો વિગતે

માર્તંડ સૂર્ય મંદિરની સ્થાપના કાશ્મીરના મહાન રાજા લલિતાદિત્ય મુક્તિપીડ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર અનંતનાગથી ૯ કિલોમીટરના અંતરે આવેલું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ મંદિરની રચના ૮મી સદીની હોવાનું કહેવાય છે, પરંતુ દાવો કરવામાં આવે છે કે આ મંદિર સો વર્ષ પહેલાનું છે. આ મંદિરનું મહત્વ મરાઠી સાહિત્ય ‘માર્તંડ મહાત્મય’માં પણ જોવા મળે છે. મુસ્લિમ સુલતાન સિકંદર શાહ મીરીએ સૈફુદ્દીન સાથે મળીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તે સંપૂર્ણ રીતે સફળ થયો ન હતો. મંદિરને તોડતા ઘણા વર્ષો લાગ્યા.

કેટલાક ઈતિહાસકારોએ લખ્યું છે કે હિંદુ સમ્રાટો દ્વારા બનાવવામાં આવેલા ઘણા મંદિરો કાશ્મીરમાં હતા. સિકંદર શાહ મીરીએ પણ કાશ્મીરમાંથી હિંદુઓ અને તેમના સાંસ્કૃતિક પ્રતીકોને નાબૂદ કરવાના ઉદ્દેશ સાથે મંદિરોને તોડવાનું શરૂ કર્યું. સિકંદર શાહ મીરીએ તેમાંથી ઘણી તોડી પાડી અને તે જ ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કરીને મસ્જિદો બનાવી. આ જ ક્રમમાં તે સૂર્ય મંદિર સાથે પણ આવું કરવા માંગતો હતો. કરકોટ વંશ પછી ઉત્પલ રાજવંશના સમયગાળામાં પણ માર્તંડ મંદિરનો વૈભવ જળવાઈ રહ્યો હતો. જાે કે ૧૪મી સદી સુધીમાં મુસ્લિમ ઉપદેશકોની માન્યતાને કારણે હિંદુ રાજાઓનો પતન શરૂ થયો. ૧૪મી સદીની શરૂઆતમાં કાશ્મીરના શાસક રાજા સહદેવ હતા, જેમના બે વિશ્વાસુ હતા – લદ્દાખના બૌદ્ધ રાજકુમાર રિંચન શાહ અને સ્વાત ખીણના મુસ્લિમ ઉપદેશક સિકંદર શાહમીર. 

આ સમયગાળામાં મોંગોલ આક્રમણખોર દુલ્ચુએ ૭૦ હજાર સૈનિકો સાથે કાશ્મીર પર હુમલો કર્યો અને પોતાનો જીવ બચાવવા માટે રાજા સહદેવને જમ્મુના કિશ્તવાડ જવું પડ્યું. દુલ્ચુએ કાશ્મીરમાં હિન્દુઓને પોતાના ગુલામ બનાવવાનું શરૂ કર્યું. જો કે એવું કહેવાય છે કે તે સમયે આવેલી કુદરતી આફતમાં તે તેના ઘણા સૈનિકો સાથે માર્યો ગયો હતો. અહીં, મુસ્લિમ આક્રમણકારો માટે કાશ્મીર પર કબજો કરવાનો અનુકૂળ સમય હતો અને તેઓએ તેમ કર્યું. 

આ સમાચાર પણ વાંચો : પરીક્ષાનો સમયગાળો ચાલુ છે. આ વિડીયો તમારા બાળકને જરુર દેખાડજો. તેના વિચારો બદલાઈ જશે. સુપર 30 ના રીયલ લાઈફ હીરો આનંદ કુમારનો આ વિડીયો જુઓ. સફળતાની 4 ટીપ્સ. જે બદલશે જીવન..

સિકંદર શાહમીરે લદ્દાખના રાજકુમારને પણ કાશ્મીરની ગાદી પરથી હટાવીને પોતે શાસક બન્યો. ૧૪૧૭માં આ સિંહાસન પર બેઠા – સિકંદર ઝૈનુલ આબિદિન. તેણે હિંદુઓને ઈસ્લામ સ્વીકારવા અથવા કાશ્મીર છોડીને ભાગી જવા કહ્યું. ન સ્વીકારવા પર હત્યાકાંડ શરૂ થયો. ઝૈનુલને બુતશિકન પણ કહેવામાં આવતું હતું. જેનો અર્થ થાય છે મૂર્તિ તોડનારા. ઝૈનુલ આબિદીને માર્તંડ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો અને ૧૫મી સદીમાં આ મંદિરને તોડીને આગ લગાડવામાં આવી. એવું કહેવાય છે કે માર્તંડ સૂર્ય મંદિરને આખું વર્ષ તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આ પછી તેણે તેના પાયા ખોદીને તેમાંથી પથ્થરો કાઢ્યા અને તેને લાકડાથી ભરી દીધા. આ પછી લાકડાને આગ લગાડવામાં આવી હતી. આ રીતે માર્તંડ સૂર્ય મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિરના અવશેષો હજુ પણ ત્યાં સ્થિત છે. ASIએ મંદિરના જીર્ણોદ્ધારના નામે કેટલાક પ્રયાસો કર્યા જે અપૂરતા સાબિત થયા.

Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Exit mobile version