Site icon

રસીની શોધમાં જે વાંદરાઓ પર પરિક્ષણ થયું હતું, તેમને હવે ફરી પોતાના સ્થાન પર પાછા સુરક્ષિત મોકલવામાં આવ્યા છે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના વાઈરસથી સંરક્ષણ આપનાર રસીકરણનું અભિયાન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. રસીનું સર્વપ્રથમ પરિક્ષણ જે ૧૨ લાલ વાંદરાઓ પર થયું હતું, તેમને આખરે રવિવારે તેમના મૂળ નિવાસસ્થાન પર પાછો સુરક્ષિત મોકલવામાં આવ્યા છે.

વિદર્ભના જંગલોમાંથી બાર વાંદરાઓ કોરોના રસીના સંશોધન માટે લાવવામાં આવ્યા હતા. પૂનાની નેશનલ વાઇરોલોજી લેબોરેટરીમાં સંશોધનકારોએ આ વાંદરાઓ પર રસીનું પરિક્ષણ કરી વધુ અભ્યાસ કર્યો હતો. સંશોધનકારોએ લાલ વાંદરાઓનો અભ્યાસ કર્યો, જે માનવ જનીનોની સમાનતા ધરાવે છે અને કોરોના વાયરસ જ્યારે તેમના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એન્ટીબોડી કેવી રીતે વાયરસ સામે પ્રતિક્રિયા આપે છે અને તેમનું શરીર વાયરસ સામે કેવી રીતે લડે છે. તેનું નિરિક્ષણ કર્યું હતું. બજારમાં કોરોના રસી ઉપલબ્ધ થતા પહેલાં આ વાંદરાઓ પર છેલ્લા સાત મહિનાથી સંશોધન ચાલી રહ્યું હતું. સંશોધનની સફળતા બાદ શનિવારે વાંદરાઓને નાગપુરના ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરની ટીમની મદદથી મુક્ત કરવામાં આવ્યા હતા.

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે નાગપુરના જંગલમાં લાલ વાંદરાઓને એનઆઈવી દ્વારા આ પરીક્ષણો માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન આ નિર્દોષ વાંદરાઓને નુક્શાન ન પહોંચે તે માટે કાળજી લેવામાં આવી હતી.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version