Site icon

સ્વાસ્થ્ય જાણકારી: હૃદયને સ્વસ્થ રાખવા આ ખોરાક ને સામેલ કરો તમારા રોજિંદા આહારમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક અંગ છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. શિયાળાની ઋતુમાં હૃદયની સમસ્યાઓ વધી જાય છે. હાર્ટ એટેક ની સમસ્યા આજના સમયમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની રહી છે. આજના સમયમાં હાર્ટને લગતા દર્દીઓ માત્ર વૃદ્ધો જ નથી યુવાનો પણ છે. શિયાળાની ઋતુમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે શરીરને અંદરથી ગરમ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.અયોગ્ય આહાર માત્ર આપણી કિડનીને જ નહીં પરંતુ આપણા હૃદયને પણ અસર કરે છે. તેથી, તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અને તેને હૃદયના જોખમથી બચાવવામાં મદદ કરી શકે. તો ચાલો અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવીએ જે તમારા હૃદય અને આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

લસણઃ શિયાળાની ઋતુમાં લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણો ઉપરાંત, લસણમાં વિટામિન બી, વિટામિન-સી, સેલેનિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ જેવા તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તજઃ ભારતીય રસોડામાં હાજર તજ માત્ર ભોજનનો સ્વાદ વધારવાનું જ કામ કરતું નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તજમાં કેલ્શિયમની સાથે ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે, તેના સેવનથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.

હળદર: હળદરનો ઉપયોગ કોઈપણ ખોરાકનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ હળદરમાં જોવા મળતા ગુણો શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. હળદર બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

બેરી: બેરી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. રાસબેરી હોય, સ્ટ્રોબેરી હોય, બ્લેકબેરી હોય, બ્લુબેરી હોય કે ક્રેનબેરી હોય, બધામાં એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દાડમઃ દાડમ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દાડમ લોહીમાં નાઈટ્રિક ઓક્સાઈડ વધારે છે. જેના કારણે ધમનીઓ ની સંકુચિત અને બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકાય છે.

સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં લીલી મેથી ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version