Site icon News Continuous Bureau

આ સરકારી અધિકારીએ તો ભારે કરી; ભગવાન શ્રીરામનું આધાર કાર્ડ માગ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભગવાન શ્રીરામની નગરી ઉત્તર પ્રદેશથી ભગવાન શ્રીરામ સાથે જોડાયેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બંદા જિલ્લાના રામ જાનકી મંદિરના પૂજારીએ વહીવટી તંત્ર પર ભગવાન શ્રીરામના આધારકાર્ડની માગણી કરવાનો આરોપ લગાવ્યો છે. પૂજારીએ એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર અટારા એસડીએમ સૌરભ શુક્લાએ મંદિર પરિસરમાં ઊગેલા ઘઉંના પાકને સરકારી ખરીદ કેન્દ્રને વેચવા માટે શ્રી રામના આધારકાર્ડની માગ કરી હતી.

હકીકતે મંદિરના વિશાળ પરિસરની જમીન રામ જાનકી મંદિરના નામે નોંધાયેલી છે, જેમાં રામકુમાર દાસ એક સંરક્ષક તરીકે તમામ કામગીરી સંભાળે છે. પાકના વેચાણથી જે પૈસા આવે છે એનાથી વર્ષ દરમિયાન મંદિરમાં ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હવે મંદિરના પૂજારી રામકુમાર દાસની દુવિધાએ છે કેતે આગળની પ્રક્રિયા કઈ રીતે કરશે. આ બાબતે એસડીએમ સૌરભ શુક્લાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે તેમણે સરકારની ખરીદનીતિને ટાંકીને સરકારી ખરીદી કેન્દ્રમાં પાક ખરીદવાની અસમર્થતા દર્શાવી હતી.

ભાગેડુ મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડે આખરે મોઢું ખોલ્યું; કહ્યું મને આપી હતી આ ઑફર, જાણો વિગત

ભગવાનનું આધારકાર્ડ લાવવાની વાત ક્યાંથી આવી એ ફક્ત પૂજારી જ જણાવી શકે છે, પરંતુ તરત જ એક રીતે પૂજારીના આધારકાર્ડના નિવેદનને હૅન્ડલ કરતાં એસડીએમ શુક્લાએ કહ્યું કે મેં આધારકાર્ડને અન્ય કોઈ સંદર્ભમાં લાવવા વિશે કહ્યું હશે. હવે આ મુદ્દો નવા વિવાદનું કારણ બની બેઠો છે.

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version