Site icon

તિરુપતિ મંદિર ગુરુવારે ખુલશે, 6000 ભક્તો ને જ પ્રવેશ, ભીડ નિયંત્રણ માટે ત્રણ દિવસ રિહર્સલ કરાયું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુન 2020

 લોકડાઉનને કારણે અંદાજે 80 દિવસથી બંધ રહેલા તિરુપતિ બાલાજીના મંદિરને ભક્તો માટે ખોલવા અગાઉ, કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકો સાથે સુરક્ષાના સખત નિયમોના પાલન માટે, મંદિરમાં ત્રણ દિવસનું રીહર્સલ કરવામાં આવ્યું છે. કોરોના ને લઇ અપાયેલી સરકારી ગાઈડલાઈન મુજબ હાંડીમાં દાન નાખતા અગાઉ બધા જ ભક્તો એ પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કરવા પડશે. જ્યારે મંદિરના અંત:ભાગથી સો ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન કરવાના રહેશે. બીજી બાજુ ભીડ નિયંત્રણ કરનાર મંદિર ના કર્મચારીઓએ પીપીઈ શૂટમાં ફરજ બજાવતા જોવા મળશે.

 આમ તિરુપતિ માં ભક્તોની ભીડને સંભાળવા માટે ના રિહર્સલ બાદ માત્ર છ હજાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. દર્શન માટેની ટિકિટનું વેચાણ સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના અને દસ વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં… 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version