Site icon News Continuous Bureau | Mumbai

આજનો શુભ દિવસ – શ્રાવણ માસનો શુભારંભ

આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત  સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…

Join Our WhatsApp Channel
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version