Site icon News Continuous Bureau | Mumbai

આજનો શુભ દિવસ – શ્રાવણ માસનો શુભારંભ

આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત  સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…

Join Our WhatsApp Channel
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version