Site icon

આજનો દિન વિશેષ – શિવરામ હરિ રાજગુરુની જન્મ જયંતિ.

શહીદ ભગતસિંહનું નામ ક્યારેય એકલુ લેવામાં આવતું નથી, રાજગુરુ અને સુખદેવનું નામ પણ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. જેમણે ગુલામીની સાંકળોમાં ભારત માતાને પકડનારા બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી. તેમનું પૂરું નામ શિવરામ રાજગુરુ હતું. તેમનો જન્મ પૂણે જિલ્લાના ખેડ (હાલના રાજગુરુ નગર) નામના ગામમાં 24 ઓગસ્ટ 1908ના થયો હતો. તેઓ માત્ર 22 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયા હતા. નાનપણથી જ રાજગુરુની અંદર જંગ-એ-આઝાદીમાં જોડાવાની ઇચ્છા હતી.  માત્ર 16 વર્ષની ઉંમરે, તે હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મીમાં જોડાયો. તેમના અને તેના સાથીદારોનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ અધિકારીઓના મનમાં ભય પેદા કરવાનો હતો. 

ચંદ્રશેખર આઝાદ સિવાય, હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશન (એચએસએ) માં, ક્રાંતિકારીઓના સંગઠનમાં બીજો એક મહાન શૂટર હતો. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે રાજગુરુએ ભગત સિંહ અને સુખદેવ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા કરી. આ ઐતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ 23, 1931ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી..

Join Our WhatsApp Community
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version