Site icon News Continuous Bureau | Mumbai

આજનો દિન વિશેષ – શિવરામ હરિ રાજગુરુની જન્મ જયંતિ.

શહીદ ભગતસિંહનું નામ ક્યારેય એકલુ લેવામાં આવતું નથી, રાજગુરુ અને સુખદેવનું નામ પણ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. જેમણે ગુલામીની સાંકળોમાં ભારત માતાને પકડનારા બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી. તેમનું પૂરું નામ શિવરામ રાજગુરુ હતું. તેમનો જન્મ પૂણે જિલ્લાના ખેડ (હાલના રાજગુરુ નગર) નામના ગામમાં 24 ઓગસ્ટ 1908ના થયો હતો. તેઓ માત્ર 22 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયા હતા. નાનપણથી જ રાજગુરુની અંદર જંગ-એ-આઝાદીમાં જોડાવાની ઇચ્છા હતી.  માત્ર 16 વર્ષની ઉંમરે, તે હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મીમાં જોડાયો. તેમના અને તેના સાથીદારોનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ અધિકારીઓના મનમાં ભય પેદા કરવાનો હતો. 

ચંદ્રશેખર આઝાદ સિવાય, હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશન (એચએસએ) માં, ક્રાંતિકારીઓના સંગઠનમાં બીજો એક મહાન શૂટર હતો. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે રાજગુરુએ ભગત સિંહ અને સુખદેવ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા કરી. આ ઐતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ 23, 1931ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી..

Join Our WhatsApp Channel
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Exit mobile version