Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામમાં 2013ની દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ; સૌએ પાળ્યું બે મિનિટ મૌન, જાણો વિગત

The door of Kedarnath Dham will be opened from this date

શિવભક્તો માટે સારા સમાચાર, આ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

વર્ષ 2013માં ૧૭ જૂનના રોજ કેદારનાથ ધામમાં મૃત્યુ પામેલા યાત્રિકોની યાદમાં દેવસ્થાનમ બોર્ડ અને તીર્થ પુરોહિતો, પોલીસ વહીવટ દ્વારા શ્રી કેદારનાથ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિતો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 16 અને 17 જૂન, 2013ના રોજ કેદારનાથ ધામમાં પૂર અને ભારે વરસાદને કારણે હજારો યાત્રાળુઓ, સ્થાનિક લોકો અને પશુઓ મૃત્ય પામ્યા હતા.

દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે મીડિયાને જણાવ્યું હતું કે “કેદારનાથ ધામમાં વિદાય થયેલ લોકોની આત્માઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી, બે મિનિટનું મૌન પાલવમાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભગવાન કેદારનાથને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવી દુર્ઘટના ફરી ન થાય. દરેક લોકો ખુશ રહે.”

વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાંજલિ સભામાં કેદારનાથ ધામના મુખ્ય પુજારી બાગેશ લિંગ, કેદાર સભાના પ્રમુખ વિનોદ શુક્લા, કિશન બગવાડી, રાજકુમાર તિવારી, અંકુર શુક્લા, મંદિરના વહીવટી અધિકારી યદુવીર પુષ્પવાન, પોલીસ ચોકી કેદારનાથ પ્રભારી મંજુલ રાવત અને તેમની ટીમ સાથે અવનિશ કુમાર, દિલવાર નેગી, જોડાયા હતા.

Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version