Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે વારાણસી નું નામ શી રીતે પડ્યું. જાણો રોચક ઇતિહાસ અહીં.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

મંગળવાર

વારાણસીનું સૌથી જૂનું નામ કાશી જ છે. ધાર્મિક ગ્રંથોમાં પણ આ નગરીને કાશીના નામે ઓળખ આપવામાં આવી છે. આ નામ લગભગ ૩૦૦૦ વર્ષથી બોલાય છે. કાશીને ઘણી વખત કાશીકા પણ કહેવામાં આવતી હતી. જાે આપણે આ શબ્દના અર્થ વિશે વાત કરીએ, તો તેનો અર્થ ચમકતો અથવા તેજસ્વી થાય છે. કહેવાય છે કે ભગવાન શિવની નગરી હોવાને કારણે તે હંમેશા ચમકતી હતી. કાશી શબ્દનો અર્થ ઉજ્જવળ, દૈદિપ્યમાન પણ થાય છે.વારાણસીનું સૌથી પ્રખ્યાત નામ બનારસ છે. આજે પણ ઘણા લોકો તેને બનારસના નામથી જાણે છે. મુઘલો અને પછી અંગ્રેજાેના શાસન દરમિયાન તેનું નામ બનારસ રહ્યું. મહાભારતમાં તેનો વારંવાર ઉલ્લેખ છે. વાસ્તવમાં, તેનું નામ પાલી ભાષામાં બનારસી હતું અને તે ફરીથી બનારસ બન્યું. જ્યાં સુધી બનારસ નામનો સંબંધ છે, તો તે બનાર નામના રાજા સાથે જાેડાયેલો છે, જે મોહમ્મદ ઘોરીના હુમલા દરમિયાન અહીં માર્યો ગયો હતો. કહેવાય છે કે અહીંના લોકજીવનના રંગ જાેઈને મુઘલોએ આ નામ રાખ્યું અને આ નામથી બોલાવતા રહ્યા. વારાણસીનું એક પ્રાચીન નામ પણ છે. બૌદ્ધ જાતક વાર્તાઓ અને હિંદુ પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પવિત્ર શહેરમાંથી પસાર થતી બે નદીઓ વરુણા અને અસીના નામ પરથી બનારસનું નવું નામ વારાણસી છે. વરુણા નદી અને આસી નદી બંને વારાણસીમાંથી પસાર થાય છે. જાે કે વારાણસીમાંથી ઘણી નાની-મોટી નદીઓ પસાર થાય છે, પરંતુ આ બંને નદીઓ શહેર સાથે અલગ જ લગાવ ધરાવે છે. વારાણસીમાં, વરુણા નદી ઉત્તરમાં ગંગામાં અને અસી નદી દક્ષિણમાં ગંગામાં જાેડાય છે.  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલા પણ બનારસના તત્કાલીન મહારાજા વિભૂતિનારાયણ સિંહ હતા. સ્વતંત્રતા પછી, જ્યારે વિવિધ રજવાડાઓનું વિલિનીકરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મહારાજા વિભૂતિનારાયણ સિંહે તેમના રજવાડાના ભારતમાં વિલીનીકરણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આઝાદી પછી, જ્યારે ઉત્તર પ્રદેશની રચના થઈ, ત્યારે તેહરી ગઢવાલ, રામપુર અને બનારસના રજવાડાઓ તેમાં ભળી ગયા. ૨૪ મે ૧૯૫૬ના રોજ શહેરનું નામ બદલવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વ પ્રસિદ્ધ વારાણસીમાં છે. વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઘણા મંદિરોની મુલાકાત લીધી અને આ દરમિયાન તેઓ ૩૩૯ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. જ્યારે પણ વારાણસીની વાત થાય છે ત્યારે કેટલાક લોકો તેને બનારસ કહે છે તો કેટલાક તેને કાશી કહે છે. પરંતુ વારાણસી કરતાં વધુ લોકો તેને બનારસ તરીકે વધુ ઓળખે છે. આ ઉપરાંત આ પવિત્ર ભૂમિને કાશી  તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે શા માટે વારાણસીને બનારસ અથવા કાશી તરીકે ઓળખવામાં આવે છે. જાણો શું છે આ શહેરના નામોની કહાની અને કેમ વારંવાર નામ બદલાતા રહે છે. દરેક શહેરના નામ પાછળ પણ એક અલગ કહાની છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version