દેશભરમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે જાણીતા રામકથા વાચક મોરારિ બાપુએ મંગળવારે કોરોના વેક્સીન લીધી.
તેમણે સાવરકુંડલાના શ્રી લલ્લૂભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આ રસી મૂકાવી.
કોરોના મહામારી સામેની લડાઈને આગળ વધારતા સરકારે બધા લોકોને રસી મૂકવવા અપીલ કરી છે. હોસ્પિટલમાં જે સમયે મોરારિ બાપુને વેક્સીન અપાઈ એ સમયે તેમની સાથે ટ્રસ્ટના સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.