Site icon

પહેલવાન સુશીલકુમારે જેલમાં માગ્યો પ્રોટીનયુક્ત આહાર; કહ્યું આપવામાં આવતો ખોરાક ઓછો પડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

સાગર રાણા હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સુશીલકુમારને તિહારની માંડોલી જેલમાં રખાયો છે. સુશીલકુમારને અન્ય કેદીઓની જેમ જ ખાવાનું આપવામાં આવે છે. એ તેના માટે અપૂરતું હોવાની ફરિયાદ તેણે કરી છે. સુશીલકુમારે માગ કરી છે કે આ ખોરાક તેના માટે પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેને પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે.

આ અંગે જરૂર જણાતાં તે પ્રોટીનયુક્ત આહાર માટે કોર્ટમાં અરજી કરવાની પણ વિચારણા કરી રહ્યો છે. બુધવારે સુશીલે જેલ અધિકારીઓને ભોજન અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે ગુરુવારે સાંજે તેણે ભોજન અંગે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું છે કે તેને જેલમાં પૂરતો ખોરાક મળતો નથી.

લૉકડાઉનમાં અતિલોકપ્રિય બનેલી લૂડો ગેમ વિરુદ્ધ થઈ હાઈકોર્ટમાં આ અરજી; જાણો શું છે સમગ્ર મામલો

તેણે કહ્યું છે કેમને વધુ ખોરાકની જરૂર છે. તે કુસ્તીબાજ હોવાથી તેના ખોરાકમાં પ્રોટીન વધારે હોવું જોઈએ. તે કહે છે કે જેલનું ભોજન શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે આ કેસ અંગે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version