Site icon

પ્રવાસી માટે સુવિધા કે દુવિધા-એસી લોકલનો દરવાજો જ ના ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત-જુઓ વિડિયો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાની સુવિધા અને આરામદાયક પ્રવાસ માટે એસી લોકલ(AC Local) ચાલુ કરવામાં આવી છે. પરંતુ એસી લોકલમાં પ્રવાસ કરવો પ્રવાસીઓ(Passengers) માટે દુઃસપનું બનતું જઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં  બીજી વખત એસી લોકલનો દરવાજો નહીં ખુલવાનો બનાવ બન્યો છે. 

Join Our WhatsApp Community

તાજેતરમાં કલ્યાણથી(kalyan) આવેલી એસી લોકલનું દાદર સ્ટેશન(Dadar station) આવ્યું હતું. મુસાફરો હંમેશની જેમ દાદર ઉતરવા માટે તૈયાર હતા પણ જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે ઓટોમેટિક દરવાજા(Automatic door) ખુલ્યા જ નહોતા. તેથી પ્રવાસીઓનું ટેન્શન વધી ગયું હતું.

મળેલ અહેવાલ મુજબ કલ્યાણ- CSMT 6:32 ટ્રેન દાદર સ્ટેશને પહોંચ્યા પછી, તેના દરવાજા ખુલ્યા નહોતા અને મુસાફરો તેમાં અટવાયા હતા.

આ સમાચાર પણ વાંચો : મલાડના ભાજપના નગરસેવિકા સેજલ પ્રશાંત દેસાઈનો પંચવર્ષીય કામના અહેવાલનું થયું પ્રકાશન

આ અગાઉ 27 જૂને થાણે(Thane)- CSMT  એસી લોકલ સવારે 9:03 વાગ્યે ઉપડી હતી. લોકલમાં અપેક્ષા કરતા વધુ મુસાફરો હતા. થાણેથી મસ્જિદ બંદર(masjid bandar) સુધીનો પ્રવાસ સરળ રીતે પસાર થયો. CSMT સ્ટેશન આવવાનું હોવાથી મુસાફરો આવીને દરવાજા પાસે ઊભા રહ્યા હતા. જોકે ટ્રેન સ્ટેશન(Train station) પર પહોંચી પણ દરવાજો ન ખૂલ્યો. લોકલ સ્ટેશન પર આવતાં જ મોટરમેન(Motor man) નીચે ઉતરીને ચાલવા માંડ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેને ભાન થયું હતું કે દરવાજો ખુલ્યો નહોતો પછી પાછા આવીને તેણે દરવાજો ખોલ્યો હતો.
 

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version