Site icon

બેદરકારી દાખવવી ભારે પડશે, મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવશે આ કાર્યવાહી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

 બુધવાર. 

મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈન રહેલા લોકો દ્વારા ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી આવા લોકોને  મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો નિયમોનું ઉલ્લંઘન કર્યુ તો હાથ પર ફરી હોમ ક્વોરન્ટાઈનનો સિક્કો મારવામાં આવશે.

છેલ્લા બે દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યામાં હળવો ઘટાડો જણાયો છે. પોઝિટિવિટી રેટમાં પણ 30 ટકાથી 20 ટકા સુધીનો ઘટાડો જણાયો છે. હાલ મુંબઈમાં 90 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. મોટાભાગના કેસ અસિમ્પ્ટોમૅટિક છે. આવા હાલ સાત લાખ 28 હજાર નાગરિકો હોમ ક્વોરેન્ટાઇન છે. જોકે અનેક લોકો હોમ ક્વોરેન્ટાઇનના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે.

શું મલાડના જંબો કોવિડ સેન્ટરમાં ફાયર એનઓસી નથી? મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા પછી ખળભળાટ; જાણો વિગત

તેથી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયું તો તેના પર હાથ પર હોમ ક્વોરન્ટાઈનનો સિક્કો મારવામાં આવશે.  અહીં ઉલ્લેખનીય છે કે પહેલી લહેર દરમિયાન  હોમ ક્વોરન્ટાઈન દર્દીના હાથ પર સિક્કો મારવામાં આવતો હતો. જેથી જો તે હોમ ક્વોરન્ટાઈનના નિયમનો ભંગ કરે તો આજુબાજુના લોકોને તુરંત તેની જાણ થઈ શકે. બીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ હાથ પર સિક્કો મારવાનું બંધ કરવામાં આવ્યું હતું.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version