Site icon

અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં

best bus passengers save time and money with digital service

બેસ્ટ બસ મુસાફરો બન્યા ડિજિટલ, 'ચલો' એપ પર માત્ર આઠ મહિનામાં આટલા લાખનો થયો વધારો..

News Continuous Bureau | Mumbai

બેસ્ટ પ્રશાસને(BEST administration) મુંબઈ શહેરના ગણેશોત્સવને(Ganeshotsav) લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. આ ઉપક્રમ મુજબ 31 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવના કાર્યક્રમને વેગ મળે તે માટે બેસ્ટ ખાસ બસો દોડાવશે. આ બસ માત્ર અને માત્ર ખ્યાતનામ ગણેશોત્સવ મંડળોની(Ganeshotsava Mandals) વિઝીટ કરાવશે. આ બસમાં ફોર્ટ, ગીરગામ, ખેતવાડી, લાલબાગ, ભાયખલા જેવા અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન(Tourist destination) જોડવામાં આવ્યા છે. જોકે આ સુવિધા રાત્રિના સમયે કાર્યરત રહેશે.

Join Our WhatsApp Community

રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિ એક કલાકે એક બસ દોડશે. આ બસની શરૂઆત ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) થી થશે અને ત્યાંથી નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ, મહર્ષિ કર્વે રોડ(Maharshi Curve Road), ગીરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા જીજામાતા ઉદ્યાન, લાલબાગ, ફરી એકવાર ભાયખલા, ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ અને મરીન લાઈન્સ(Mumbai Central and Marine Lines) થઈને મેટ્રો સિનેમાના(Metro Cinema) રૂટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે.

આ સમાચાર પણ વાંચો : તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત

આ ડબલ ડેકર બસ નું(Double Decker Bus) ભાડું ગ્રાઉન્ડ સીટીગ માટે 75 રૂપિયા અને ઉપરના ડેક માટે 150 રૂપિયા આંકવામાં આવ્યું છે.

વધુ તપાસ માટે બેસ્ટ ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાય છે. 

૧૮૨૨૭૫૫૦

૦૨૨-૨૪૧૯૦૧૧૭

Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ પર કોઈ બાંધછોડ નહીં, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીથી મળ્યો કડક આદેશ; શિંદે જૂથની માંગણીઓ ઠુકરાવશે ભાજપ?
Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Exit mobile version