Site icon

મુંબઈ શહેરમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના એ ચાલતી પકડી અને બિલ્ડિંગોમાં ધામા નાખ્યા… જાણો મહાનગરપાલિકાના તાજા આંકડા…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 માર્ચ 2021

મુંબઈ મહાનગર પાલિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે એક ખતરનાક ટ્રેન્ડ દેખાયો છે. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરતા લોકો કોરોનાના સંસર્ગમાં આવી રહ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પહેલી માર્ચ ના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈ શહેરમાં 137 ઇમારતો પ્રતિબંધિત છે જ્યારે કે માત્ર દસ ઝૂંપડપટ્ટીના પટ્ટાઓ પ્રતિબંધિત છે.

ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થવાને કારણે ત્યાં રહેલા પ્રતિબંધિત ક્ષેત્રો ઊઘડ્યાં છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરી રહેલા લોકોને પ્રમાણમાં વધુ કોરોના લાગુ પડતા બિલ્ડિંગોને સીલ કરવાનું પ્રમાણ વધ્યું છે.

જો આંકડાકીય રીતે જોવા જઈએ તો મુંબઈ શહેરમાં 10 ઝૂંપડપટ્ટીઓ પ્રતિબંધિત ક્ષેત્ર છે જેમાં કુલ 61 હજાર લોકો રહે છે. જ્યારે કે કુલ 137 ઇમારતોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે જેને કારણે એક લાખ 27 હજાર લોકો આ વિસ્તારોમાં છે. 

1 માર્ચના રોજ મળેલા આંકડા મુજબ અંધેરી અને જોગેશ્વરી પશ્ચિમ ભાગમાં કુલ 19 ઇમારતો પ્રતિબંધિત છે. ચેમ્બુરમાં 18, ભાંડુપ માં 16, બાંદ્રામાં 12, લાલબાગ અને પરેલમાં 12 ઇમારતો પ્રતિબંધિત છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version