News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Corona epidemic) બાદ બે વર્ષે આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ(GaneshUtsav) ધામધૂમથી ઉજવાય રહ્યો છે. લોકોનો ઉત્સાહ આ વખતે બમણો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં(Education sector) પણ આ વખતે ગણેશોત્સવની રજાની જાહેરાત થઇ છે. રાજ્યની સ્કૂલ-કોલેજોને(schools and colleges) પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે(Department of Education) પરિપત્રક બહાર પાડી મુંબઈ સહિત રાજ્યભરની તમામ સ્કૂલ-કોલેજો માટે ગણેશોત્સવના પહેલાં પાંચ દિવસ એટલે કે ૩૧મી ઓગસ્ટને બુધવારથી ચોથી સપ્ટેમ્બર, રવિવાર સુધી રજાની જાહેરાત કરી છે. આથી વિદ્યાર્થી-વાલીઓ(Student-Parents) અને શિક્ષકોમાં આનંદ અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો: શાબ્બાશ-યુરોપના સૌથી ઊંચા શિખરને સર કરી મુંબઈ ફાયરબ્રિગેડના બે જવાને દેશનું નામ કર્યું રોશન
આ પાંચ દિવસની રજાના સમય દરમિયાન કોઈ લેખિત કે મૌખિક પરીક્ષાનું (Written or Oral Examination) આયોજન ન કરવાનું આવ્હાન પણ શિક્ષણ વિભાગે કોન્વેન્ટ સ્કૂલોને(convent schools) ધ્યાનમાં રાખીને કર્યું છે.