Site icon News Continuous Bureau | Mumbai

હવાઈ મુસાફરો માટે કામના સમાચાર – મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તારીખે છ કલાક માટે રહેશે બંધ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઓક્ટોબર(October) મહિનામાં મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો : બોરીવલીના આંગણે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બોલાવશે ગરબાની રમઝટ- હાઇકોર્ટે ગરબા ઇવેન્ટને લઈને દાખલ કરાયેલ અરજી ફગાવી

મહત્વનું છે કે  અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.

Borivali Woman Cyber Fraud ઑનલાઇન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડી ભારે બોરીવલીની મહિલા સાથે ₹૬ લાખની સાયબર ઠગાઈ
Mumbai Airport Runway Incident સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા મુંબઈ રનવે પર એર ઇન્ડિયાના બે પ્લેન આમનેસામને
Mumbai Bus Pushed to Save Life “અમે છીએ ને… તો શેનો ડર છે?” એક યુવકનો જીવ બચાવવા માટે મુંબઈગરાઓએ આખેઆખી બસ ધકેલી, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
Panvel Steel Trader Arrested ₹૭૦ લાખનું સ્ટીલ પચાવી પાડી ફરાર થયેલો પનવેલનો વેપારી મલાડમાંથી ઝડપાયો, પોલીસે જેલભેગો કર્યો
Exit mobile version