Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ઘાટકોપરમાં કેમિકલ લીકેજની દુર્ઘટનામાં થયા આટલા મોત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર. 

મુંબઈમાં ફરી એક વખત ગેસ દુર્ઘટનાનો કમનસીબી બનાવ બન્યો હતો. ઘાટકોપર(વેસ્ટ)માં નારાયણ નગરમાં એક ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ગાળામાં ગેસ લીકેજની દુઘર્ટના બની હતી, જેમાં  એકનું મોત થયું હતું તો બે જખમી થયા હતા.

મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ઘાટકોપર(વેસ્ટ)માં નારાયણ નગરમાં કુર્લા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વહેલી સવારના 8.15 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જયાં કેમિકલ કંપનીમાં ટેન્કની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન મેથાનોલ અને કાયનોરિક ક્લોરાઈડ ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. ઘટના સ્થળે કામ કરી રહેલા ત્રણ કર્મચારીને તેનો ત્રાસ થતા તેમને તરત રાજાવાડી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

માત્ર ડોકટરો જ નહીં મુંબઈ માં પોલીસ દળ ના કર્મચારીઓ મોટી સંખ્યા માં કોરોના માં સપડાયા. જાણો વિગત અહીં.

જોકે આ દુર્ઘટનામાં 36 વર્ષના રામનિવાસ સરોજનું ઘટના સ્થળે જ ગુંગળાઈ જવાથી મોત થયું હતું. તો 36 વર્ષના રુબીન સોલકર અને 25 વર્ષના સારવંશ સોનાવણેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર છે. 

Mumbai Coastal Road Tunnel Car Fire મુંબઈના કોસ્ટલ રોડ ટનલની અંદર ચાલતી કારમાં લાગી ભીષણ આગ, વાહનોના યુટર્નથી મચી ભારે અફરાતફરી
Mumbai Rain Updates 2026 મુંબઈમાં આગામી ૫ દિવસ ભારે! મેઘરાજાના ધમાકેદાર કમબેક સાથે હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી!
Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Exit mobile version