Site icon

મુંબઈના માથે ફરી સંકટ- મુંબઈનું આ જાણીતું પર્યટન સ્થળ રહેશે અમુદત સમય માટે પર્યટકો માટે બંધ

Gateway of India awaits restoration funds as cracks develop in iconic structure

‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને મુંબઈનો તાજમહેલ કહેવામાં આવે છે.. પણ હવે ભવ્ય ઈમારતમાં તિરાડો? અધધ આટલા કરોડના ખર્ચે કરાશે રિસ્ટોરેશન..

News Continuous Bureau | Mumbai

 મુંબઈનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ(Famous tourist spot) ગેટ વે ઓફ ઇન્ડિયા(Gateway of India) કેટલાક દિવસો માટે પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું  છે. તાજેતરમાં રાયગઢના દરિયા કાંઠે(Raigad Sea Coast) શસ્ત્રો મળવા સહિતની કેટલીક ઘટનાઓને ધ્યાને લઈને મુંબઈ પોલીસે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાયગઢના હરિહરેશ્વર દરિયાકાંઠે(Harihareshwar Coast) ૧૮ ઓગસ્ટના બોટમાં ત્રણ એકે-૫૬ રાઇફલ ૨૨૫ કારતૂસ, ૧૦ બોક્સ અમુક દસ્તાવેજો મળ્યા હતા. જેને લીધે રાજ્યના ગૃહખાતાની સાથે જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં હાઇ એલર્ટ (High alert) જારી કરવામાં આવ્યું હતું.

જોકે બાદમાં આ બોટ યુરોપ(Europe) જવા નીકળેલી ઓસ્ટ્રેલિયન નાગરિકની(Australian citizen) હોવાનું જણાયું હતું. ઓમાન(Oman) પાસે એન્જિન બગડી ગયા બાદ ભરતીમાં રાયગઢમાં તણાઈને આવી હોવાની માહિતી મળી હતી. બોટમાં પ્રવાસ કરતા લોકોને ઓમાનમાં બચાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : BMC કબજે કરવા શિંદે-ભાજપ સરકારનું તિકડમ- એક વર્ષ સુધી આ કરવેરામાં કોઈ વધારો નહીં- જાણો વિગતે 

આ ઘટના બાદ જોકે મુંબઈના ટ્રાફિક પોલીસને ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ પાકિસ્તાનના કોડવાળા નંબરથી(Pakistan Coded Number) આવ્યો હતો. ત્યાં મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં(five star hotel) બોંબ હોવાની ધમકી ફોન પર મળી હતી. પોલીસ કોઈ બેદરકારી રાખવા માગતી નથી અને આ બનાવ બાદ ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
 

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version