Site icon

હવે રાજ ઠાકરેએ લોકલ બાબતે રાજ્ય સરકારને ચીમકી આપી : કહ્યું લોકલ ચાલુ નહિ કરાય તો મોટું આંદોલન થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. તેમ છતાં લોકલના દરવાજા સામાન્ય મુંબઇગરા માટે બંધ છે, જેને કારણે મુંબઈગરાંને ભારે હાલાકી પડી રહી છે. હવે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લોકલ શરૂ કરવા અંગે પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે મુંબમાં લોકલ તાત્કાલિક બધા માટે ખોલવામાં આવે નહિતર મનસે દ્વારા આંદોલન કરવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 15 મહિનાથી મહારાષ્ટ્ર સરકારે બાકીના દેશની જેમ મહારાષ્ટ્ર પર પણ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. લોકો આ પ્રતિબંધોને અનુસરી રહ્યા છે, પરંતુ આજકાલ સવાલ એ છે કે આ પ્રતિબંધો કોના માટે છે. હાલમાં મુંબશહેર માટે લેવામાં આવતા નિર્ણય અગમ્ય છે. મુંબઈની લગભગ તમામ ફિસો ખુલી ગઈ છે અને દરેક વ્યક્તિ ઘરેથી કામ કરી શકતી નથી. આ માટે તેઓએ દરરોજ ઘણા કલાકોની મુસાફરી કરવી પડે છે.

દૈનિક ભાસ્કરનાં કાર્યાલયોપર ઇન્કમ ટૅક્સની રેડ; સંસદમાં પણ આ મામલે પડ્યા પડઘા, જાણો વિગત

મહારાષ્ટ્ર સરકારે બસ સેવા માટે પરવાનગી આપી દીધી છે, પરંતુ લોકલ બંધ હોવાને કારણે આ બસમાં ખૂબ ભીડ થાય છે. આવી ભીડમાં મુસાફરી કરવાથી કોરોના ફેલાવાનું જોખમ વધે છે. તેથી બસ અને લોકલ શરૂ કરીને મુંબઈગરાને રાહત આપવાની માગણી રાજ ઠાકરેએ કરી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version