કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા માટે શરૂ થાય લોકલ ટ્રેનસેવા, કાંદિવલીમાં ભાજપ રસ્તા પર ઊતરી, કર્યું વિરોધ પ્રદર્શન; જુઓ ફોટા અને વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

આજે મુંબઈમાં ભારતીય જનતા પક્ષ મહાવિકાસ આઘાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. લોકલને સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવામાં આવે એવી માગ સાથે ભાજપ આજે રસ્તા પર ઊતર્યો છે.

ભાજપના અતુલ ભાતખળકરના નેતૃત્વ હેઠળ આજ સવારે 10:30 વાગ્યેથી ઉત્તર મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશન પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ હાથમાં પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓ માટે સ્થાનિક ટ્રેનસેવા પુન:સ્થાપિત કરો.

આ વિરોધ પ્રદર્શનને જોતાં કાંદિવલી રેલવે સ્ટેશન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

 

મુંબઈ લોકલ શરૂ કરવાની માંગ માત્ર ભાજપ જ નહીં, મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસ પણ લોકલ ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.

મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપે એમ પણ કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેન સેવા એવા લોકો માટે ફરી શરૂ કરવી જોઈએ જેમની પાસે રસીના બંને ડોઝ હોય.

 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version