ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈના મેયર કિશોરી પેડણેકરે બુધવારે મોડી રાતે ભાજપના વિધાનસભ્ય અને નેતા આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસમાં વિનયભંગની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મેયરે લેખિત સ્વરૂપમાં આશિષ શેલાર સામે ફરિયાદ કરી હતી. મેયરના કહેવા મુજબ થોડા દિવસ પહેલા વરલીની બીડીડી ચાલમાં આગ લાગી હતી. તે સંદર્ભમાં આશિષ શેલારે તેમની સામે મહિલાને અણછાજે એવું વિવાદાસ્પદ નિવેદન કરીને તેમનો વિનયભંગ કર્યો હતો.
આ પ્રકરણની પોલીસે તપાસ ચાલુ કરી હતી. આ દરમિયાન આશિષ શેલારે પણ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને મુદ્દે તપાસ કરવાની માગણી કરી હતી.
