Site icon

મુંબઈના આ વોર્ડમાં થયા હતા 4 લાખથી વધુ કોરોના દર્દીઓ ક્વોરંટાઈન; દરેક વોર્ડની સરખામણીમાં આ વોર્ડનો આંકડો મોટો: જાણો આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના કાળમાં મુંબઈમાં લાખો લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો હોમ ક્વોરંટાઈન થયા તો કેટલાક લોકોને કોવિડ સેન્ટરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ક્વોરંટાઈન કરવામાં સહુથી આગળ ચેમ્બુરનો એમ પૂર્વ વોર્ડ રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 4,24,232 લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા.

મુંબઇના દરેક વોર્ડની સરખામણીમાં સહુથી મોટો એમ પૂર્વ વોર્ડનો આંકડો રહ્યો છે. આ આંકડામાં બીજા નંબર પર કે પૂર્વ વોર્ડ અંધેરી (ઇસ્ટ) રહ્યું. જ્યાં 3,54,481 લોકોને ક્વોરંટાઈન કરાયા હતા. જ્યારે કે મુંબઈના 24 વોર્ડમાંથી બી વોર્ડ એક માત્ર એવો વોર્ડ છે જ્યાં સૌથી ઓછા 6,239 લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. અહીંયા દર્દીઓની સંખ્યા સૌથી ઓછી હતી.

ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવ મહિના બાદ સૌથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હવે કોરોનાનો પ્રકોપ નથી રહ્યો. મંગળવારે 279 નવા કેસ નોંધાયા હતા. 31,585 લોકોના કોરોના ટેસ્ટમાંથી 279 દર્દીઓ નોંધાયા હતા અને આખા દિવસમાં માત્ર એક દર્દીનું મૃત્યુ થયું હતું. જોકે મુંબઈમાં હજી પણ કોરોનાના 291 દર્દીઓ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version