ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 363 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,36,022 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 438 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 4530 એક્ટિવ કેસ છે.
