Site icon

સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને આજીવન તેના પ્રચાર માં કાર્યરત એવા મુસ્લિમ પંડિત નું મુંબઈ માં નિધન..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   મહારાષ્ટ્રમાં સંસ્કૃત માટે ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા સંસ્કૃતના વિદ્વાન અને સમિતિના અધ્યક્ષ, પંડિત ગુલામ દસ્તાગીર બિરાજદરનું ગુરુવારે બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું. તેઓ 87 વર્ષના હતા. 


  પંડિત ગુલામ સાંપ્રદાયિકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપનારા હતા. તેઓને બનારસ હિંદુ યુનિવર્સિટી સાથે બીજી ઘણી સંસ્થાઓમાં સંસ્કૃત વિષય અંગે વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત પણ કરવામાં આવતા હતા. વિશ્વ સંસ્કૃત પરીસ્થાન  વારાણસીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હોવાને કારણે તેમને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર કે.આર. નારાયણન સામે સંસ્કૃત પઠન કરવા માટે પણ આમંત્ર્યા હતા. પંડિત ગુલામ દસ્તાગીર નિવૃત્ત થયા ત્યારે  મુંબઈ ખાતે વરલીની એક સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કાર્યરત હતા.

Join Our WhatsApp Community

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

   વર્ષો પહેલાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભાષાનો કોઈ ધર્મ નથી અને તે કોઈ પણ સમુદાયની પોતાની દૈવિક જાગીર નથી. ફક્ત બ્રાહ્મણો જ સંસ્કૃત ભણી શકે એ કથન એટલું જ નિરર્થક છે જેટલું મુસ્લિમ જ ઉર્દુ ભાષા શીખી શકે.'

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version