Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને કાસ્ટ વેરિફિકેશન કમિટીએ આપી આ રાહત- જાતિને લઈને તેમની સામે થઈ હતી ફરિયાદ

CBI registers corruption case against Sameer Wankhede, the Aryan Khan case officer

કિંગ ખાનના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ, ઘરની તલાશી પણ લીધી

News Continuous Bureau | Mumbai

નાર્કોટિક્સ કંટ્રોલ સેલના(Narcotics Control Cell) ભૂતપૂર્વ ડિવિઝનલ ડિરેક્ટર(Former Divisional Director) સમીર વાનખેડેને(Sameer Wankhede) જાતિ પ્રમાણપત્ર(Caste Certificate) ચકાસણી સમિતિ (કાસ્ટ વેરિફિકેશન કમિટી)(Cast Verification Committee) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. સમીર વાનખેડે અને તેના પિતાએ ઈસ્લામ(Islam) અંગીકાર કર્યો હોવાનો કોઈ પુરાવો નથી. તેથી જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ તેમનું હિન્દૂ મહાર જાતિનું(Hindu Mahar caste) પ્રમાણપત્ર માન્ય હોવાનો ચુકાદો આપ્યો છે.

Join Our WhatsApp Channel

જ્યારે સમીર વાનખેડે NCB અધિકારી હતા, ત્યારે તેમણે અભિનેતા શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનની(Aryan Khan) ડ્રગ્સના કેસમાં(Drugs case) ધરપકડ કરી હતી. જે બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) નેતા નવાબ મલિકે(Nawab Malik) સમીર વાનખેડે દ્વારા કરાયેલી કાર્યવાહી બોગસ હોવાનો આક્ષેપ કર્યો હતો. મલિકે વાનખેડે વિરુદ્ધ અનેક આરોપો કર્યા હતા અને તેમની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમાં મલિકે એવા પણ આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ બોગસ જાતિ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો : વીકએન્ડની રજાએ કર્યા બેહાલ- મુંબઈ-પુણે હાઈવે પર ટ્રાફિક જામ- લાગી વાહનોની લાંબી કતાર- જુઓ ફોટોગ્રાફ્સ 

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર સતત આરોપ લગાવ્યા હતા. સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે અને સરકારી નોકરી મેળવવા માટે તેણે અનુસૂચિત જાતિ કેટેગરીમાં(scheduled caste category) હોવાનો દાવો કર્યો હતો અને નોકરી મેળવી હતી. મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ નકલી જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હતી. સમીર વાનખેડે અને તેના પિતાએ આ આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેઓ મુસ્લિમ નથી પરંતુ અનુસૂચિત જાતિના છે. આ આરોપમાં ભીમ આર્મી અને સ્વાભિમાની રિપબ્લિકન પાર્ટી વિવાદમાં કૂદી પડ્યા. આ બંને સંસ્થાઓએ વાનખેડે વિરુદ્ધ મુંબઈ શહેર જિલ્લા જાતિ ચકાસણી સમિતિમાં ફરિયાદ નોંધાવી હતી.
 

Bhandup Fire News| ભાંડુપ વિલેજ રોડ પર ભીષણ આગથી અફરાતફરી રહેણાંક વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, ફાયર બ્રિગેડે મોટું નુકસાન અટકાવ્યું
Tardeo Accident| તાડદેવમાં કાળ બનીને આવી ક્રેન રસ્તા કિનારે આરામ કરી રહેલા 55 વર્ષીય મહિલા સફાઈ કર્મચારીને કચડી નાખ્યા
Borivali Police Success| કાયદાના લાંબા હાથ ૩૬ વર્ષ સુધી પોલીસને થાપ આપનાર હત્યાના પ્રયાસનો આરોપી આખરે ઝડપાયો
Kalyan Railway Station। કલ્યાણ સ્ટેશન પર આરપીએફ જવાન દેવદૂત બની આવ્યા ચાલુ ટ્રેને નીચે પટકાતા માતાપુત્રનો જીવ બચાવ્યો
Exit mobile version