Site icon

ગણેશોત્સવની ઉજવણી આ વર્ષે પણ ફિક્કી રહેશે, અત્યાર સુધી માત્ર આટલાં મંડળોએ મંજૂરી માટે BMCમાં કરી અરજી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ગણેશોત્સવનો તહેવાર નજીક છે, પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ફિક્કી રહેશે એવું જણાય છે. મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે. જોકે અત્યાર સુધી ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા માત્ર 989 મંડળોએ જ અરજી કરી છે. એમાંથી 74 અરજી તો અપૂરતા દસ્તાવેજોને કારણે ફગાવી  દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 200 મંડળોને જ મંજૂરી મળી છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો  એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા
ગયા વર્ષે કોરોનાને પગલે અનેક મોટાં સાર્વજનિક મંડળોએ ગણેશોત્સવની ઉજવણી રદ કરી હતી. અમુક મંડળોએ સાદાઈથી ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાનું જોખમ માથે હોવાથી સાદાઈથી જ તહેવાર ઊજવવાની અપીલ સરકારે કરી છે. અમાં પાછું કોરોનાને પગલે ગણેશ મંડળોને અપેક્ષા મુજબનું ડોનેશન પણ નથી મળી રહ્યું. એની અસર ગણેશોત્સવની ઉજવણીમાં જોવા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 12,000 જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો છે. એની સામે ગયા વર્ષે માત્ર 6,443 મંડળોને મંજૂરી મળી હતી.  

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version