Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાનઃ અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવર નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray bungalow Matoshree)ના બંગલા બહાર આજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) કરવાની જાહેરાત અમરાવતીની સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવી રાણા(MLA Ravi Rana)એ કરી છે. તે ઈરાદે મુંબઈ(Mumbai) આવી પહોંચેલુ રાણા દંપતી તેના ખારના નિવાસસ્થાન(Khar Home)થી બહાર નીકળે નહીં તે માટે શિવસૈનિકો(Shiv sena protest)એ શુક્રવાર રાતથી તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં અંડિગો જમાવીને બેસી ગયા છે. ત્યારે કોઈ પણ હિસાબે હનુમાન ચાલીસા(Hanuman Chalisa) કરીને જ રહેશે એવી જાહેરાત નવનીત રાણા(Navneet Rana)એ કરી છે.

Join Our WhatsApp Community

પોલીસે(Mumbai Police) સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાણા દંપતીના ઘરની બિલ્ડિંગ નજીક કોઈ જાય નહીં તે માટે બેરીકેટ્સ લગાવીને રસ્તો બંધ કરી દીધો હતો. છતાં ઉશ્કેરાયેલા શિવસૈનિકો બેરીકેટ્સની ઉપર ચઢીને બિલ્ડિંગની બહાર પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં શિવસૈનિકો જમા થઈ ગયા છે અને જોરદાર નારાબાજી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઘરની બહાર શિવસૈનિકો ભેગા થઈ ગયા હોવાથી રાણા દંપત્તિ કેવી રીતે ઘરની બહાર નીકળીને બાંદ્રામાં મુખ્ય પ્રધાનના બંગલા માતોશ્રીમાં પહોંચે છે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

આ સમાચાર પણ વાંચો :  વાહ !!! મુંબઈનો કયો રસ્તો ટ્રાફિક માટે બંધ છે તેની જાણ હવે ‘ગૂગલ મૅપ’ પર મળશે.

મુંબઈ પોલીસે(Mumbai Police) પહેલા તેમને કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લેવા માટે 149ની નોટિસ બજાવી છે. આ દરમિયાન શિવસૈનિકોના ઉગ્ર પ્રર્દશન બાદ પણ નવનીત રાણાએ તે કોઈ પણ હિસાબે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા કરીને જ રહેશે એવો હુંકાર કર્યો છે. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે સહન કરવામાં આવશે નહીં એવું પણ તેણે કહ્યું હતું.
 

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version