Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક્સિડન્ટ વિક્ટિમને મળી રહેશે તરત સારવાર, ઠાકરે સરકારે લીધું આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

દેશનો સૌથી બીઝી હાઈવે ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર બહુ જલદી ટ્રોમા હોસ્પિટલ શરૂ થવાની છે, તેને પગલે હાઈવે પર થતા રોડ ઍક્સિડન્ટના વિક્ટીમને તરત સારવાર આપવાનું અને તેમનો જીવ બચાવવું સરળ થઈ પડશે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનોરમાં લાંબા સમયથી 200 બેડ સાથેની હોસ્પિટલ બાંધવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારે હાથમાં લીધો હતો. આ હોસ્પિટલમાં 20 બેડ સાથેનું ટ્રોમા સેન્ટર પણ હશે જયાં એક્સિડન્ટ વિકટિમને તુરંત સારવાર આપવું શક્ય બનશે. 

હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ અધિવેશનમાં આ બાબતે જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું બાંધકામ 2019થી ચાલુ હતું પરંતુ કોરોનાને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં હોસ્પિટલનું કામ બંધ પડી ગયું હતું. હવે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું સંયુક્ત રીતે કામ ચાલુ કર્યું છે. બહુ જલદી હોસ્પિટલનું કામ પૂરું થશે અને સામાન્ય નાગરિક માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version