Site icon

મુંબઈના માલવણીમાં હિંદુ સ્મશાનભૂમિના આ તો કેવા હાલ- ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય-BMC સામે હિંદુઓનો આક્રોશ

News Continuous Bureau | Mumbai

મુંબઈના માલવણીમાં(Malvani) આવેલા હિંદુ સ્મશાનભૂમિની (Hindu burial ground) હાલત એક ખંડેર કરતા પણ બદતર થઈ ગઈ છે. વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) પી-નોર્થ વોર્ડ દ્વારા તેના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ હિંદુઓ દ્વારા કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

માલવણી એક નંબરમાં અર્થવ કોલેજ પાસે આ હિંદુ સ્મશાનભૂમિ(Hindu Cemetery) આવેલી છે. સોશિયલ મીડિયા પર આ સ્મશાનભૂમિના ફોટા ફરી વળ્યા છે. જેમાં સ્મશાનભૂમિની(cemetery) હાલત એકદમ દયનીય જણાઈ રહી છે. ઠેર-ઠેર ગંદકી સિવાય અહીં કઈ જણાતું નથી.

સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર કરેલી ફરિયાદ મુજબ હિંદુઓમાં માણસના મૃત્યુ બાદ પણ તેનું એટલું જ સન્માન આપવાનો રિવાજ છે. પરંતુ માલવણીના આ સ્મશાનભૂમિમાં કોઈ પ્રકારના ઠેકાણા નથી. અંતિમ સંસ્કાર આપવા પહેલા સંબધીઓને ન્હાવાનું હોય છે. પરંતુ અહીં ના બાથરૂમના ઠેકાણા છે, ના તો પાણીના ઠેકાણા છે. સોશિયલ મીડિયા પર સ્મશાનભૂમિના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેસવા માટે તૂટેલી ફૂટેલી  સીટ દેખાય છે. નાનું એવું એક મંદિર દેખાય છે તે પણ એકદમ જીર્ણ હાલતમાં જણાય છે. ફોટામાં સ્મશામભૂમિમાં ઠેર ઠેર ગંદકીનો માહોલ જણાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- મુંબઈ-અહમદનગર  નેશનલ હાઈવે બન્યો જોખમી-  એક વર્ષમાં થયા આટલા એક્સિડન્ટ-સેફ્ટી ઓડિટની થઈ માગણી- જાણો વિગત

સોશિયલ મિડિયા(Social media)પર ભાજપના નેતાઓ(BJP leaders) તથા પાલિકાના પી-નોર્થ વોર્ડ ને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ 26 ઓગસ્ટના કરવામાં આવી હતી. એ સમયે પી-નોર્થ વોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી અને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. જોકે આજે દસ દિવસની ઉપર થઈ ગયા છે. છતાં હજી સુધી પાલિકા દ્વારા ત્યાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એવી ફરિયાદ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version