Site icon

Mumbai Gujarati Patrakar Sangh: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

સંઘના પ્રમુખ સહિત કારોબારીના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઇ આવ્યા.

Announcement of new executive of Mumbai Gujarati Patrakar Journalists Sangh

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

News Continuous Bureau | Mumbai 

9 સપ્ટેમ્બર, 2023ના બોરિવલી સ્થિત રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ હોલ ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની ( Mumbai Gujarati Patrakar Sangh ) વાર્ષિક સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ( Mayur Parikh ) જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સંઘના પ્રમુખની સાથે આઠ કમિટી મેમ્બરની ચૂંટણી 4 સપ્ટેમ્બરે ચોજવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રમુખ પદ માટે માત્ર વિપુલ વૈદ્યે ફોર્મ ભર્યું હતું જ્યારે કમિટી મેમ્બર્સ માટે આઠ જણે જ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

Join Our WhatsApp Community

આજે યોજાયેલી એજીએમમાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ચૂંટાઈ આવેલા સભ્યોના ( new executive ) નામની જાહેરાત ( Announcement  ) કરી હતી. જ્યારે સંઘના નવનિર્વાચિત પ્રમુખે હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. વર્ષ 2023-25 માટેની નવી કારોબારીમાં વિપુલ વૈદ્ય (મુંબઈ સમાચાર) – પ્રમુખ પી. સી. કાપડિયા (ફિલ્મી ઍક્શન) – ઉપ પ્રમુખ, કુનેશ દવે (ગુજરાત સમાચાર) – સેક્રેટરી, નિમેશ દવે (ગુજરાતી મિડ-ડે) જોઇન્ટ સેક્રેટરી, સપના દેસાઈ (મુંબઈ સમાચાર) – ખજાનચીનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય તરીકે સંજય વી. શાહ (માંગરોળ મલ્ટી મીડિયા), ધીરજ રાઠોડ (ગુજરાત સમાચાર), યોગેશ પટેલ (મુંબઈ સમાચાર) અને વૈશાલી ઠકકર (ગુજરાત સમાચાર)નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..

મુંબઈ ગુજરાતી પત્રકાર ( Journalists  ) સંઘની એજીએમના આયોજન માટે રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ અને ભોજનની વ્યવસ્થા પંકજ કોટેચા દ્વારા કરવામાં આવી હતી.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Exit mobile version