Site icon News Continuous Bureau | Mumbai

અસ્મિતા ગુજરાતી દ્વારા ઉચ્ચારણશુદ્ધિના વેબિનારનું આયોજન; આ રીતે જોડાઈ શકો છો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત એવી સંસ્થા અસ્મિતા ગુજરાતી (મુંબઈ)એ એક વેબિનારનું આયોજન કર્યું છે. આ વેબિનારમાં ઉચ્ચારમાં અવારનવાર થતી ભૂલો પર ધ્યાન દોરી અને શબ્દોનું સાચું ઉચ્ચારણ શીખવવામાં આવશે. આ વેબિનારનું આયોજન 3 જુલાઈ, શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ઝૂમના માધ્યમથી યોજાશે.

આ સંદર્ભે વાત કરતાં અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “રમૂજી વાત એ છે કે લગભગ ૮૦% ગુજરાતીઓ ‘શ, ષ અને ક્ષ’ને બદલે સનો પ્રયોગ કરે છે.” તેમના મતે બાળકોને નાનપણથી જ શુદ્ધ ઉચ્ચારણ શીખવવાં જોઈએ, પરંતુ તે શિક્ષકોને પણ છેક એમ.એડ. લેવલ પર શીખવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતીમાં વાતચીત કરતી વખતે સ, શ અને ષના ઉચ્ચારણ પણ લોકો ખાસ ધ્યાન આપતા નથી. તેને કારણે ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે અને એથી જ આ વેબિનારનું આયોજન કરાયું છે.

આ ગુજરાતી ગૃહિણીએ શોખને વ્યવસાયમાં બદલ્યો; આજે યુટ્યુબના માધ્યમે લાખો લોકોને શીખવે છે વિસરાયેલી વાનગીઓ, જાણો વિગત

જો તમે પણ આ વેબિનારમાં જોડવા ઇચ્છતા હો તો દિલીપભાઈ દોશીનો આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો – +91 96199 19215

Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Exit mobile version