Site icon

જન્મદિવસ માત્ર ઉજાણી કરીને નથી થતો, પરંતુ સેવાભાવે પણ થઈ શકે છે; જાણો કાંદિવલીના આ યુવકનો કિસ્સો, જેણે વૃદ્ધાશ્રમમાં જઈ વડીલો સાથે સમય પસાર કર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

જન્મદિવસને દિવસે સામાન્યપણે લોકો મિત્રો સાથે ઉજાણી કરી મોજમજા કરતા હોય છે, પરંતુ એક વર્ગ એવો પણ છે જે પોતાના જન્મદિવસે સેવાભાવી કાર્યો કરી સમય પસાર કરે છે. આવો જ એક કિસ્સો કાંદિવલીમાં રહેતા શુભાંગ મહેતાનો પણ છે. શુભાંગે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોના આશીર્વાદ લઈ અને તેમની સાથે સમય પસાર કર્યો હતો.

કાંદિવલીના આ યુવકે ૨૦ જૂને પોતાનાં માતા-પિતા સાથે પાલઘરસ્થિત આનંદ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે વડીલો સાથે ચોક્કસ અંતર રાખી તેમના આશીર્વાદ લીધા હતા અને ભજન ગાઈ વડીલો સાથે સમય પસાર કરી પાલઘરના આ પ્રખ્યાત એવા આનંદ વૃદ્ધાશ્રમ વિશે વધુ જાણ્યું હતું. ઉપરાંત વડીલો સાથે પણ વાતચીત કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં શુભાંગે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “ઉજાણી અને મોજમજા તો ગમેત્યારે થઈ શકે છે.” જન્મદિવસના દિવસે આવા નવા અનુભવો આપણને જીવનમાં ઘણી બધી વસ્તુ શીખવી જતા હોય છે અને સારું કાર્ય કરવા પ્રેરે છે.

આનંદ વૃદ્ધાશ્રમ વિશે વાત કરતાં તેણે ઉમેર્યું હતું કે અહીં ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે. ૧૭ જેટલા વડીલો અહીં રહે છે. વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓ અને સંચાલકો દ્વારા તેમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વડીલોને પિકનિક અને ધાર્મિક સ્થળોએ પણ લઈ જવામાં આવે છે. આશ્રમના પ્રાંગણમાં જ મંદિર અને નાનું ગાર્ડન પણ આવેલું છે.

સ્ત્રીની લાગણીઓ વિશે લખ્યા ૫૦૦ જેટલા લેખ; હવે એને યુટ્યુબ ઉપર ચિત્રીકરણ મળશે, વાંચો એક ગૃહિણીની સાહિત્યપ્રેમની વાર્તા

ઉલ્લેખનીય છે કે શુભાંગ વર્ષોથી પોતાનો જન્મદિવસ સંસ્કૃતિક રીતે ઊજવે છે. સવારે દીવો કરી વડીલોના આશીર્વાદ લઈ કેકની જગ્યાએ મીઠાઈ ખવડાવી દિવસની શરૂઆત કરે છે. આ અગાઉ ત્રણ વર્ષ પૂર્વે પણ શુભાંગે વલસાડના અવલખંડીમાં આવેલા એક બાલાશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં બે દિવસ રોકાયો પણ હતો. આ બે દિવસ દરમિયાન ત્યાંનાં બાળકો સાથે ભજન-કીર્તન ઉપરાંત વિવિધ રમતો રમી સમય પસાર કર્યો હતો.

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Exit mobile version