Site icon

મુંબઈની આ ગુજરાતી છોકરીની બારમા ધોરણમાં ઝળહળતી સફળતા; ICSE બોર્ડમાં મેળવ્યા ૯૯%, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આ વાત છે મુંબઈની એક એવી ગુજરાતી છોકરીની જેણે આ વર્ષે ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC) બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં અદ્ભુત સફળતા મેળવી છે. સાંતાક્રુઝમાં રહેતી ક્રિશાંગી પરીખે આર્ટ્સમાં બારમા ધોરણની પરીક્ષામાં ૯૯ ટકા મેળવ્યા છે. આ ઉપરાંત તેણે છમાંથી બે વિષયમાં સંપૂર્ણ ૧૦૦ ગુણ મેળવ્યા છે, તો એક ગ્રેડેડ વિષયમાં A ગ્રેડ પણ મેળવ્યો છે.

ક્રિશાંગી બૅંન્ગ્લોરમાં સ્થિત નૅશનલ લૉ સ્કૂલમાં પ્રવેશ મેળવી LLBનો અભ્યાસ કરવા માગે છે. આ સપનું સાકાર કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી છે અને હાલ તેના પરિણામની રાહ જોઈ રહી છે. જોકેઆ સિદ્ધિ મેળવવા માટે ક્રિશાંગીએ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે તેણે કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસ કર્યા નથી, પરંતુ સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપ્યું હતું.

મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા

આ સંદર્ભે વાત કરતાં ક્રિશાંગીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે હું મારા પરિવાર અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞ છું. તેમણે મને તમામ જરૂરી સપોર્ટ પૂરો પડ્યો હતો.આ બાબતે વાતચીત કરતાં ક્રિશાંગીના ભાઈ પ્રથમેશ પરીખે ન્યુઝ કન્ટિન્યુઝને કહ્યું કે અમે ક્રિશાંગીની આ સફળતા બદલ ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને અમને આશા છે ભવિષ્યમાં પણ ક્રિશાંગી આમ જ સફળતાનાં નવાં શિખરો સર કરશે.

ઉલ્લેખનીય છે કે ક્રિશાંગીને દસમા ધોરણમાં પણ ૯૮% આવ્યા હતા. આ વર્ષે ક્રિશાંગીએ પોતાના મનગમતા વિષય સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી)માં ૧૦૦ ગુણ મેળવ્યા છે. ઉપરાંત મનોવિજ્ઞાન (સાઇકોલૉજી)માં પણ સંપૂર્ણ ૧૦૦ ગુણ મેળવ્યા છે.

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Exit mobile version