Site icon News Continuous Bureau | Mumbai

Bhavai: ભવાઈને નવી પેઢી સુધી પોહચાડવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ તારીખે કર્યું “ભવાઈ શિબિર” નું આયોજન..

Bhavai: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે " ભવાઈ શિબિર"

Maharashtra State Gujarati Sahitya Akademi organized Bhavai Shibir on this date.

Maharashtra State Gujarati Sahitya Akademi organized Bhavai Shibir on this date.

News Continuous Bureau | Mumbai

Bhavai: ભવાઈનો પ્રારંભ થયો અસાઈત ઠાકર દ્વારા ૧૪ મી સદીમાં. અસાઈત ઠાકરે ૩૫૦ ઉપરાંત વેશ લખ્યા.ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા.કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું. મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી .મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) ,  આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એવું વાતાવરણ તૈયાર કરવા માગે છે.      

Join Our WhatsApp Channel

           દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં ૨૩ ઑગસ્ટ શુક્રવારે સાંજે વિલે પાર્લેમાં ( Vile Parle ) ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન અકાદમીએ “ ભવાઈ શિબિર” ( Bhavai Shibir ) નું આયોજન કર્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ ( Gujarati Sahitya ) જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે 

  આ સમાચાર પણ વાંચો  : Rajiv Gandhi: PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ

      આ કાર્યક્રમ  જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવશે તો એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે તથા હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો આયોજન માટે સહયોગ મળ્યો છે.

    તો શુક્રવારે સાંજે પહોંચી જજો દશરથલાલ જોષી વાચનાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai auto drivers strike મુંબઈના રસ્તાઓ પર ચક્કાજામ! ઓટોટેક્સી યુનિયનનો ‘રસ્તા રોકો’ અને હડતાળનો નિર્ણય, મુસાફરોની વધશે મુશ્કેલી
Ganeshotsav safety measures ભુલેશ્વર દુર્ઘટનાથી મોટો બોધપાઠ લાલબાગપરેલમાં ગણેશોત્સવને લઈને કઠોર પગલાં, આગમન પૂર્વે જ તંત્ર એલર્ટ
Bhuleshwar accident impact ભુલેશ્વર દુર્ઘટના બાદ ૨૨ વર્ષ જૂના નિર્ણયની ચર્ચા જોરશોરથી શરૂ, મુંબઈમાં બાપ્પાના આગમન વખતે શું થયું હતું?
Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Exit mobile version