News Continuous Bureau | Mumbai
Jharukho : રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, ‘ અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.’ લાઓ ત્ઝુએ કહ્યું છે, ‘ પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે ‘
પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે.
શનિવાર ૭ જૂન એ સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ , પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, ‘શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ સાથે ભાવકોને પરિચય કરાવશે.
ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ ‘ શ્રાવણનો પાઠ ‘( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે.
બીજું પુસ્તક છે ‘ નદીષ્ટ ‘ . મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન)
આ સમાચાર પણ વાંચો : Trump Musk News : ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો Feud (ફ્યુડ) થયો વધુ ઘાતક, ધમકીઓ અને અપમાનજનક ટિપ્પણીઓથી રાજકીય તોફાન
યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.