News Continuous Bureau | Mumbai
Organ Donation : આપણા દેશમાં મૃત્યુ બાદ દેહદાન ( Organ Donation ) કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ બાદ સામાન્ય સમાજમાં અંતિમસંસ્કાર માટે એક અલગ જગ્યા હોય છે ત્યારે વલસાડ ( Valsad ) ના ચીખલી ખાતે રહેતા એક પિતા ( Father ) ની ઇચ્છા અનુસાર એક પુત્રીએ પિતાના અવસાન બાદ વલસાડ મેડિકલ કોલેજ ( Valsad Medical College ) માં પિતાનું દેહદાન કરીને સમાજના લોકો માટે ઉમદા ઉદાહરણ પુરુ પાડયું છે.
વલસાડના ચીખલીમાં રહેતા ૭૭ વર્ષિય સ્વ.રમણીકભાઈ ફૂરિયા ( Ramnik Furiya ) નું કસ્તુરબા હોસ્પિટલમાં જૈન પરિવારના રમણીકભાઇનું દેહાંત થયુ હતું. જીવતા સમાજ માટે ઉપયોગી બનવાના આશય સાથે મૃત્યુ પછી પણ સમાજને આપી જવાની ભાવના સાથે પાંચ વર્ષ પહેલા રમણીકભાઈ અંગદાનના સેમિનાર ગયા હતા જયાં તેમણે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
રમણીકભાઇ દિકરી ( Daughter ) અમીબેનને પિતાની ઈચ્છા મુજબ પરેશભાઈનો કોન્ટેક કર્યો હતો. ત્યારબાદ તેઓએ ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈ પટેલનો સંપર્ક કરી વલસાડ મેડીકલ કોલેજમાં દેહહાનની કરવામાં આવ્યું હતું. આ દેહદાનથકી ડોકટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : Ind vs SA 1st Test : પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ સમેટાઈ ગઈ, દક્ષિણ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને એક ઇનિંગ અને આટલા રને હરાવી..
મૃતકના દિકરી અમીબેન સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા પિતાએ પાંચેક વર્ષ પહેલા દેહદાનનો નિર્ણય કર્યો હતો. તેમના નિર્ણયને પરિવારે આવકારી દેહદાન કરાયું છે. તેઓ કહે છે કે, પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પણ મૃત્યૃ બાદ પણ દેહદાન કરીને સમાજની પ્રત્યે ઋુણ અદા કર્યું છે. ‘મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મેડીકલ કોલેજને દાન કરવામાં આવ્યો છે. મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમે તેમનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો
વલસાડ મેડીકલ મેડિકલ કોલેજમાં દેહદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી. ડો. પંકજભાઈ અને ડો. સતીષભાઇ તથા અન્ય તબીબો અને વિદ્યાર્થીઓએ સ્વ.રમણીકભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરિવારના દેહાનના આ નિર્ણય સૌએ બિરદાવ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.