Site icon News Continuous Bureau | Mumbai

Rakhi Mela 2023: ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનો બની સ્વનિર્ભર – હસ્તકલા કારીગરી થી સ્વરોજગારને આપી નવી ઓળખ

Rakhi Mela 2023: ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અંતર્ગત સુરત રેલવે સ્ટેશન પર ઉભા કરેલા સ્ટોલ થકી રૂ.૮૫ હજારનો નફો મેળવ્યો:

womens of Dabholi's Keshvi self-help group became self-reliant - gave a new identity to self-employed from handicrafts

Rakhi Mela 2023: ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનો બની સ્વનિર્ભર - હસ્તકલા કારીગરી થી સ્વરોજગારને આપી નવી ઓળખ

News Continuous Bureau | Mumbai 

Rakhi Mela 2023: સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓના સ્વાવલંબન અને સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી આજીવિકા મિશન અંતર્ગત કતારગામ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ બહાર પાર્કિંગમાં રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટેના રાખી મેલા- ૨૦૨૩ શરૂ થયો છે, જેમાં ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનોએ સ્ટોલ ઉભો કરી મંડળ નિર્મિત ૩૦થી ૪૦ પ્રકારની રાખડીઓ, તહેવારોને લગતી ચીજવસ્તુઓ વેચાણ કરી રહી છે. આ બહેનોએ સ્વનિર્ભર બની હસ્તકલાકારીગરીથી સ્વરોજગારને નવી ઓળખ આપી છે.

Join Our WhatsApp Channel

 

સુરત રેલવે સ્ટેશન  અને સુરત એરપોર્ટ પર સ્ટોલ 

ડભોલી ખાતે રહેતા કેશ્વી સ્વ સહાય જુથના કિંજલબેન પટેલ જણાવે છે કે, અમારા જુથમાં ૧૦ બહેનો કાર્યરત છે. સિઝન પ્રમાણે હોમમેડ વસ્તુઓ જેવી કે રાખડી, વાઘા, બેલ્ટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરીએ છીએ. સ્ટોલ ફાળવણીથી સ્વરોજગારીના વિકાસમાં મદદ મળી છે. સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અને સુરત એરપોર્ટ ખાતે પણ અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેમાં ૮૫ હજારનો નફો તેમજ સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો છે.

આ સમાચાર પણ વાંચો : CAIT Chandrayaan-3 : દેશભરના વેપારીઓએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની કરી ઉજવણી, લગાવ્યા ભારત માતા કી જય, વંદે માતરમના નારા..

આર્થિક પગભર બન્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારની મિશન મંગલમ યોજનામાં મળતી લોન સહાય નાનકડા વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યા છીએ. જેમાં ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના ખૂબ આભારી છીએ. 

 

Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Exit mobile version