Site icon News Continuous Bureau | Mumbai

સ્ત્રીની લાગણીઓ વિશે લખ્યા ૫૦૦ જેટલા લેખ; હવે એને યુટ્યુબ ઉપર ચિત્રીકરણ મળશે, વાંચો એક ગૃહિણીની સાહિત્યપ્રેમની વાર્તા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

આ વાત છે એક એવી ગૃહિણીની જેણે સ્ત્રીની લાગણીઓ વિશે લગભગ ૫૦૦ જેટલા લેખ લખ્યા છે અને હવે એનું યુટ્યુબ પર ચિત્રીકરણ કરવાનું છે. ઘાટકોપરમાં રહેતાં અને ઘાટકોપરની જ એસ.પી.આર. જૈન ગુજરાતી શાળામાં ભણેલાં હેતલબહેન મહેતાએ હવે પોતાના સ્ત્રીના હૃદયમાં ધબકતાં સ્પંદનો પર લખેલા લેખોને યુટ્યુબના માધ્યમે વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવા મથી રહ્યાં છે.

હેતલબહેને આ લેખો ઉપરાંત બે ગીતો પણ લખ્યાં છે અને એને પોતાની યુટ્યુબ ચૅનલ રુહાની પર પણ મૂક્યાં છે. હેતલબહેન સ્પોન્ટેનિયસ લેખિકા છે એટલે કે આપેલા કોઈપણ વિષય પર તરત જ લેખ અને કાવ્યો લખી શકે છે. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં પણ તેમની કૃતિઓ વિજેતા તરીકે પસંદગી પામી છે.

બી. આર. ચોપડાની મહાભારતમાં કુંતીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રી જીવી રહી છે ગુમનામ જિંદગી, 70ના દાયકામાં બિકિની પહેરીને મચાવી હતી ખલબલી; જાણો વિગતે
 

હકીકતે પોતાના શાળાકીય અભ્યાસ દરમિયાન શાળામાં જ આયોજિત પબ્લિક સ્પીકિંગની વર્કશૉપમાંથી તે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરતાં શીખ્યાં હતાં અને ત્યાર બાદ તેમને ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ પડવા લાગ્યો હતો અને તેમણે લખવાની શરૂઆત કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં હેતલબહેને ન્યુઝ કન્ટિન્યુઝ કહ્યું કે,“મારા લેખનકાર્યમાં અને તેના ચિત્રીકરણમાં મને પરિવારનો પૂરો સહકાર મળ્યો છે.” તેઓ પોતાના આ લેખોને વાચકો સુધી ડિજિટલ રીતે જ પહોંચાડવા ઇચ્છે છે અને એ માટે પ્રગતિના પંથે છે.

ઉલ્લેખનીય છે કે ઘાટકોપરની જાણીતી ગુજરાતી શાળામાં એસ.પી.આર. જૈન કન્યા શાળાની આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની આજે પણ પોતાની શાળા સાથે સંકળાયેલી છે અને શાળાના કાર્યક્રમ માટે દર વર્ષે બાળકોને પોતાના અનુભવથી વિવિધ કલાઓ પણ શીખવે છે.

Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Exit mobile version