Site icon

IPL-14ની આખી સિઝનમાંથી અર્જુન તેંડુલકર થયો આઉટ, તેની જગ્યાએ આ ખેલાડી ઇન થયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર IPLમાં રમતો જોવા નહીં મળે. આ વાતથી અર્જુનના ચાહકોને ઝટકો લાગ્યો છે. અર્જુન મુંબઈ ઇન્ડિયન્સના પ્રૅક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો છે. એથી તેણે આખી સિઝનમાંથી બહાર થવું પડશે. 

મુંબઈ ઇન્ડિયન્સે આ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે અર્જુન તેંડુલકર ઘાયલ થવાથી તેના સ્થાને સિમરનજિત સિંહને IPL-14ની બાકીની મૅચ રમવા માટે ટીમમાં સામેલ કરાયો છે. સિમરજિતે ટીમ સાથેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ફાસ્ટ બોલર અર્જુનને ચૅમ્પિયન મુંબઈએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાની ટીમમાં લીધો હતો.  

વાવાઝોડાને લીધે નહીં પરંતુ મુંબઈમાં આ કારણે શાકભાજીના ભાવમાં થયો વધારો ; જાણો વિગતે

ખાસ વાત એ છે કે અર્જુન IPLમાં હજુ સુધી રમી શક્યો નથી. તેને મુંબઈ ફ્રેન્ચાઇઝીએ ગત વર્ષે લિલામીમાં 20 લાખની બેઝિક પ્રાઇઝમાં ખરીદીને ટીમમાં ઉમેર્યો હતો. તે હાલમાં નેટ બોલર તરીકે ટીમના અન્ય બોલરો સાથે પ્રૅક્ટિસ કરી રહ્યો છે. જોકે અત્યાર સુધી અર્જુન કોઈ પણ મૅચના 11 ખેલાડીઓમાં જગ્યા બનાવી શક્યો નથી.

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version