Site icon

પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, આ કારણોસર ન્યુઝીલેન્ડ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

પાકિસ્તાન ક્રિકેટ પર સંકટના વાદળો ફરી એકવાર ઘેરાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી શરૂ થવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ મેચની વનડે અને પાંચ મેચની ટી -20 સિરીઝ માટે પાકિસ્તાન પ્રવાસે છે. 

જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આ શ્રેણી બાદમાં રમાશે અને તેને હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાનની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version