Site icon

સીએસકેને વધુ એક ઝટકો, રૈના બાદ આ ખિલાડી પણ આઈપીએલમાંથી બહાર થયો. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 સપ્ટેમ્બર 2020

સંયુક્ત અરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બર થી શરૂ થઇ રહેલી IPL માં ચેન્નઈ સુપર કિંગ્સને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. IPLના 3 ટાઈટલ જીતી ચૂકેલી ચેન્નઈની ટીમથી સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. હજુ તો રૈના સાથેનો વિવાદ થંભ્યો પણ નહોતો, એવામાં વધુ એક CSK ખેલાડી હરભજને આઈપીએલમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. એવુ મનાય છે કે, હરભજને કોરોના વાયરસના ડરથી આઈપીએલમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે. નોંધપાત્ર વાત છે કે હરભજન યુએઈ ગયેલી ટીમમાં જોડાયો નહોતો અને ત્યારથી જ તેના રમવા અંગે અટકળો શરુ થઈ ગઈ હતી.જોકે ભજ્જીએ આજે ટીમને સત્તાવાર રીતે આ સિઝનમાં નહીં રમવા અંગે જાણ કરી દીધી છે.તેણે વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નિર્ણય કર્યો છે. આ વ્યક્તિગત કારણ શું છે તેની હજુ સુધી કોઈ જાણ નથી.  

ઉલ્લેખનીય છે કે, IPL 2020 શરૂ થાય તે પહેલાથી જ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા આ ટીમના બે ખેલાડીઓ સહિત 13 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર પછી આ ટીમના અનુભવી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો…

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version