Site icon

ભારતીય ક્રિકેટ ટીમ પર કોરોનાનો કહેર; સાત ખેલાડીઓ આઇસોલેટ થતાં, તમામ ફિટ ખેલાડીઓને સમાવતાં માંડ બની ટીમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે રમતી T20 મૅચ ફારસ જેવી સાબિત થઈ છે. ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને કોરોના થતાંએક મૅચ સસ્પેન્ડ કરાઈ હતી, પરંતુ મૅચ પ્રસારિત કરતી કંપનીને કારણે નાછૂટકે આ શ્રેણી ફરીથી શરૂ કરાઈ છે. કૃણાલ પંડ્યાની નજીક આવેલા સાત ખેલાડીઓને પણ આઇસોલેટ કરતાં હવે ભારતની ટીમમાં કોને સામેલ કરવા એ મોટો પ્રશ્ન બન્યો હતો.

ચાહકો ઇચ્છતા હતા કે બીજી અને ત્રીજી મૅચ રદ કરવામાં આવે, પરંતુ એમ ન થતાં ભારતીય ટીમ માટે કટોકટી સર્જાઈ હતી. કૅપ્ટન ધવન અને ટીમના કોચ દ્રવિડ સામે મુસીબત એ હતી કે જો સાત ખેલાડીઓ ન રમે તો ટીમ કઈ રીતે બને. બાદમાં ફિટ ખેલાડીઓને સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકેઆ નિર્ણયને પગલે હાલ ટીમમાં બોલરોની સંખ્યા વધી ગઈ છે.

કોરોનાને લગતા નિયંત્રણો તથા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાને લઈને કોંગ્રેસના આ નેતાએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી આ મોટી માગણી;જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ પડકાર ઝીલ્યો છે અને મૅચ રમવાથી પાછળ ખસી નથી. ભારતીય ટીમને વિશ્વાસ છે કે શ્રીલંકાની ટીમનો સામનો કરવા માટે આ ટીમ પણ પૂરતી છે, પણ જો ભારતના હજી એકાદ ખેલાડીને આઇસોલેટ કરાયો હોત તો ભારતે નેટ બોલરોને પણ રમાડવાની જરૂર પડત.

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version